Cyclone Dana: બંગાળની ખાડીમાં બનનારું દાના વાવાઝોડું કેટલું ભયાનક હશે? શું ગુજરાત પર થશે કોઇ અસર? જાણો અહીથી

By Jay Vatukiya

Published on:

WhatsApp Group Join Now
Telegram Group Join Now

 

‘દાના’ વાવાઝોડું આગામી 24 કલાકમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આને ધ્યાનમાં રાખીને IMDએ ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે. માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. 

બેંગલુરુ, ભારતની સિલિકોન વેલીમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે 20 ફ્લાઈટ્સ મોડી પડી હતી અને ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. શહેરમાં ભારે વરસાદના કારણે એક સપ્તાહમાં બીજી વખત શાળા-કોલેજો બંધ રાખવી પડી હતી. હવામાનની આગાહી મંગળવારે દક્ષિણ કર્ણાટક, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

આ પણ વાંચો : Geyser Tips : આ છે ગીઝર વાપરવાના ફાયદા અને નુકસાન, ખરીદતા પહેલા બધું જાણી લો

ઓડિશામાં 24 ઓક્ટોબરે વાવાઝોડું ત્રાટકી શકે છે 

હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર આજે સવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જેના કારણે 22 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર વચ્ચે ખતરનાક વાવાઝોડાની શક્યતા છે. તેમજ બંગાળની ખાડીમાં આજનું હવામાન ખૂબ જ ગંભીર બની શકે છે. બંગાળની ખાડીથી તમિલનાડુના દરિયાકાંઠે ભારે વરસાદની શક્યતા છે. આ સ્થિતિ 25 ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. ઓડિશાના 11 જિલ્લા સહિત બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વાવાઝોડાની એડવાઈઝરી જારી 

દાના વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, ઓડિશા સરકારે 23 થી 25 ઓક્ટોબર સુધી રાજ્યભરના 14 પ્રભાવિત જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સાથે જ ઓડિશાના પુરીમાં શ્રદ્ધાળુઓને શહેર છોડવા માટે કહેવામાં આવ્યું છે. IMDએ માછીમારોને સોમવારે સાંજ સુધીમાં કિનારા પર પાછા ફરવાની અને 26 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે.

આ પણ વાંચો : દાના વાવાઝોડુ : બંગાળની ખાડીથી લઈ અરબ સાગરમાં ભારે હલચલ, ગુજરાત પણ આવશે લપેટમાં? વાવાઝોડું ભારતના આ વિસ્તારોને ડૂબાડશે.

દાના વાવાઝોડું ક્યારે લેન્ડફોલ કરશે?

26મીએ રાત્રે દાના વાવાઝોડું લેન્ડફોલ કરશે ત્યારે પવનની ઝડપ 100 થી 120 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. 23મીએ સાંજે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની આસપાસ ભારે દરિયાઈ પવનની શકયતા છે. આ પછી સમયાંતરે પવનની ગતિ વધતી રહેશે. વાવાઝોડાની જે શક્યતા અગાઉ વ્યક્ત કરવામાં આવી હતી તે મુજબ પરિસ્થિતિ બનતી થઈ ગઈ છે અને અસરગ્રસ્ત સ્થળોને ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતમાં દાના વાવાઝોડાની અસર થશે?

હવામાન વિભાગે આજે ગુજરાતમાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આગાહી મુજબ આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, દિવ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

close